GUJARATNAVSARI

નવસારી જિલ્લાની સ્વ સહાય જૂથોની બહેનો દ્વારા ગામડાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

મતદાનનો લક્ષ્યાંક હાંસલ થઈ શકે તે માટે ભારતીય ચૂંટણી પંચ અને નવસારી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પણ સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છેઃ

આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી કરે એ હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ સતત યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત નવસારી જિલ્લાની સ્વ સહાય જૂથોની બહેનો દ્વારા નવસારી જિલ્લાના ૪૦ થી વધુ ગામડાઓમાં સખી મંડળની મહિલાઓને વધુમાં વધુ મતદાન માટે સામૂહિક શપથ ગ્રહણ લેવડાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે, જેમાં મહત્તમ મતદાન સાથે તમામ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવવા સહભાગી થવું જોઇએ. ઘણા પરિવારો મતદાનના દિવસે રજા હોવાથી ફરવા નીકળી જતાં હોય છે અને મતદાન કરવાનું ટાળે છે, જે સભ્ય નાગરિક તરીકે આપણા માટે અયોગ્ય છે. મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે, મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરવી જોઇએ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!