GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:શિવરાજપુરના કંસારાવાવ પાસે એસ.ટી બસ અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત,ચાર ઇસમોને પહોંચી ગંભીર ઇજાઓ 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૨.૪.૨૦૨૪

હાલોલ ના શિવરાજપુર નજીક કંસારાવાવના પાટીયા પાસે આજે વહેલી સવારે એસ.ટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રેકટરમાં સવાર ચાર ઇસમોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવામાં આવ્યા હતા.અકસ્માત સર્જી એસ.ટી બસ નો ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.અકસ્માતમાં ટ્રેક્ટરનો ખુડદો બોલી ગયો હતો. બનાવને પગલે પોલીસે એસ.ટી બસના ચાલાક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના શિવરાજપુરના ઘોઘડવા ગામના શૈલેષભાઇ મડાભાઇ પરમાર આજે વહેલી સવારે ટ્રેક્ટર લઇ હાલોલ તરફ જતા હતા.દરમ્યાન પાછળ થી આવતી બોડેલી થી હાલોલ તરફ જતી એસટી બસના ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી હંકારી આગળ જતા ટ્રેક્ટરને ધડાકાભેર અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા.અકસ્માતને લઇ ટ્રેક્ટરમાં સવાર શૈલેષભાઇ મડાભાઇ બારીયાને માથા તેમજ શરીરના ભાગે પ્રકાશભાઈ પ્રતાપભાઈ બારીયા ને કમર તેમજ શરીરના ભાગે અજય નાયકને જમાના પગમાં તેમજ સવીનભાઈ માનભાઈ નાયકને ડાબા પગમાં અને કમરના ભાગે ઈજાઓ પામતા ચારેવ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ માં હાલોલ ની સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર કરી દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી આવ્યું છે. અકસ્માત સર્જાતા એસ.ટી બસ નો ચાલાક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.જાણવા મળેલી માહિતી મુજબ વહેલી સવારે બસ ચાલાક ને જોકું આવી જતા અકસ્માત સર્જાયો હતો.બનાવ ની જાણ પાવાગઢ પોલીસ ને થતા ઘટના સ્થળે તેમજ રેફરલ હોસ્પીટલ ખાતે દોડી આવી પ્રાથમિક તપાસ કરી એસ.ટી બસના ચાલાક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!