GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ખરીફ પાક માટે બિયારણની ખરીદી અધિકૃત મંડળી, સંસ્થાઓ પાસેથી કરવા અનુરોધ

તા.૨૫/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ખેડૂતો દ્વારા રાખવાની કાળજી અંગે નાયબ ખેતી નિયામક-વિસ્તરણ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

Rajkot: રાજકોટ જિલ્લાના તમામ ખેડૂતો માટે આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગેની માર્ગદર્શિકા નાયબ ખેતી નિયામક-વિસ્તરણ, રાજકોટ દ્વારા જારી કરવામાં આવી છે.

જેમાં જણાવાયું છે કે, બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઈપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ના હોય તેવી વ્યક્તિઓ, પેઢી કે ફેરિયા પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહીં. જેથી છેતરપિંડીથી બચી શકાય.

બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું સરનામું અને જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દત પૂરી થવાની વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સિલબંધ છે કે કેમ, તેમજ તેની મુદ્દત પુરી થઈ ગઈ નથી તે બાબતે ખાસ ચકાસણી કરી લેવી.

જે બિયારણની મુદ્દ્ત પૂરી થઈ ગઈ હોય તેની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલા ના હોય તેવા, તેમજ જુદા-જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું ધ્યાનમાં આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઈન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. ખરીદેલા બિયારણનું પેકેટ-થેલી તેમજ બિલ વાવણી બાદ પણ સાચવી રાખવું જરૂરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!