GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં એન.સી.સી. ગ્રૂપ હેડક્વાર્ટરની મુલાકાત લેતા ડી.જી. શ્રી ગુરબીરપાલ સિંઘ

તા.૨૫/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજકોટમાં નેશનલ કેડેટ કોર્પના ગ્રૂપ હેડક્વાર્ટર ખાતે એન.સી.સી.ના ડાયરેક્ટર જનરલ શ્રી ગુરબીરપાલ સિંઘે તા.૨૩-૨૪ એપ્રિલ દરમ્યાન મુલાકાત લીધી હતી. તેઓશ્રીએ સૌરાષ્ટ્ર પરદેશમાં એન.સી.સી. દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ દરિયાકિનારનો બોર્ડર વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારો અને કચ્છમાં એન.સી.સીની વિવિધ પહેલો અને સિદ્ધિઓની પ્રસંશા કરી હતી.

આ તકે તેઓશ્રીએ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરનાર અને સિદ્ધી મેળવનાર તેજસ્વી એન.સી.સી. કેડેટ્સ, ઓફિસરો અને સ્ટાફને વિવિધ પ્રશસ્તિ પત્રો, મેડાલિયન, અને પુસ્તકોની ભેટ આપી સન્માનિત કર્યા હતાં. તેઓશ્રીએ એન.સી.સી.ના સૂત્ર ‘એકતા અને શિસ્ત’ને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રીય એકતા અને સામાજિક પ્રગતિ માટે અદમ્ય ઉત્સાહ અને સમર્પણથી કાર્ય કરતાં રહેવા અપીલ કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!