MORBI:નવયુગ ઍકેડેમી દ્વારા PSI/ કૉન્સ્ટેબલ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
MORBI:નવયુગ ઍકેડેમી દ્વારા PSI/ કૉન્સ્ટેબલ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
ખૂબ વિશાળ સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે પરીક્ષાની તૈયારી કરતાં મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓ માટે નવયુગ ઍકેડેમી દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર પ્રતિકભાઈ કાછડીયા, સ્પર્ધાત્મક પરીક્ષાના ધુરંધર – નવયુગ ફેંકલ્ટીના જગતદાન ગઢવી સાહેબ તેમજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું
પ્રતિકભાઈએ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના ઉદાહરણ આપીને ખૂબ મોટિવેટ કર્યાં હતાં, જયારે જગતદાન સાહેબે પરીક્ષાનો સંપૂર્ણ રોડમેપ સમજાવ્યો હતો. સંસ્થાના પ્રમુખશ્રી કાંજીયા સાહેબે લાઈવ ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીનું શું મહત્ત્વ છે તે સમજાવી 90 ટકા ઉપર રિઝલ્ટ લાવવાનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
મનહરભાઈ શુદ્રાએ ખૂબ સરસ સંચાલન કર્યું હતું. કાંજીયા સાહેબની ઉપસ્થિતિ અને પ્રેરણાથી ઍકેડેમીના ડાઇરેક્ટર દુષ્યંતભાઈ, કાજલબેન તથા છાત્રાપાલભાઈએ જહેમત ઉઠાવી સેમિનારને સફળ બનાવ્યો હતો.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.