GUJARATJUNAGADHKESHOD

યુ કે વી મહીલા આર્ટસ એન્ડ હોમસાયન્સ કોલેજ કેશોદ ખાતે ઇનોવેશન ક્લબ દ્રારા વર્કશોપ યોજાયો

યુ કે વી મહીલા આર્ટસ એન્ડ હોમસાયન્સ કોલેજ કેશોદ ખાતે ઇનોવેશન ક્લબ દ્રારા વર્કશોપ યોજાયો

વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુ કે વી મહિલા આટર્સ એન્ડ હોમસાયન્સ કોલેજ કેશોદ માં ઇનોવેશન ક્લબ દ્રારા ત્રણ દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં ૭૫ વિધાર્થીઓને ઉદ્યોગસાહસિકતા, સમસ્યા અને સમસ્યાના નિવારણ માટે પ્રેક્ટીકલ સેશન્સ, પ્રવૃત્તિઓ, અને પારસ્પરિક વાર્તાલાપ દ્વારા તાલિમ આપવામાં આવી હતી આ વર્કશોપ ને સફળબનાવવા માં આચાયૅ ડો.સીબી. કગથરા સાહેબે વિદ્યાથીર્નિઓને શુભેચ્છાઓ પાઠવી અને આગળવધવા માટે પેરણાત્મક માહિતી આપી હતી. ઇનોવેશન ક્લબના કોઓડીનેટર ડો.મીતા રાજપુરા, કો-કો ઓડીનેટર પૂવૉ તન્ના એ વર્કશોપનું આયોજન કર્યું અને વ્યવસ્થાપન સંભાળ્યું હતું . આ શિબિરમાં નિષ્ણાંત તરીકે શ્રીકર્મજીતસિંહ બિહોલા ,ફાઉન્ડર ઇનોડેસ્ક કંપની એ તાલિમ આપી હતી. તાલિમ દરમિયાન વિધાર્થીઓ આઇડિયાથી માર્કેટમાં ઉત્પાદિત વસ્તુ કઈરીતે લઈજવી તેના વિશેની પદ્ધતિસરની માહિતી અને પ્રસાર સમજ્યા. પોતાનાં પ્રોજેક્ટ ટીમમાં કામ કરીને સમાજના અને ? ઇન્ડસ્ટ્રીના સમસ્યાઓ સમજી તેમાં ઇનોવેશન કઈરીતે કરવું તેનાઉપર હેન્ડસ ઓન પ્રોજેક્ટ રજૂ કરીને નવીન વિચારો રજૂકર્યા અને પ્રતિભાવો રજૂક્યોં હતા. વિવિધ વિષયોં જેમાં જંક ફૂડ, વિમેન સેફ્ટી , મહિલા સંરક્ષણ, ન્યુટ્રીશન પ્રોબ્લેમ,ઓર્ગેનિક ફૂડ, પ્રાકૃતિકખેતી ,ફુડ સવિર્સ ,ઉપર વિધાર્થીઓ એ બનાવ્યા, આ શિબિરના સમાપન કાર્યક્રમમાં ડો.સી.બી કગથરા સાહેબ,પ્રો. વી.આર.ત્રાંગડિયા સાહેબ અને સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!