જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ધેડ પંથકમાં ગામોમાં ચણાના પાકમાં રોગ આવતા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. મગફળીની સીઝનમાં ભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં પાણી ભરાતા મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો. જે બાદ હવે ચણામાં રોગ આવતા 80ટકા પાક નિષ્ફળ ગયો છે. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે
ધેડ પંથકમાં 80ટકા ચણાનો પાક નિષ્ફળ થતાં ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે તો ધણા ખેડૂતોએ પોતાનાં ધરનાં દાગીના વેચીને ચણાનુ બિયારણ ખરીદ્યું હતું, પરંતુ પાક નિષ્ફળ થઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન પહોરયું છે
ત્યારે સરકાર ખેડૂતોને વારે આવે આને મદદ કરે તેવી માગ કરી છે.
માંગરોળ તાલુકાના ધેડના ગામોમાં ઓસા,સામરડા ,કુલરા,હંટરપુર,પંથક સહિતના ખેડૂતો પશુપાલન ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ ચારા માટે ખેડૂતો વલખાં મારે છે.પિયત માટે માત્ર અમીપુર ડેમ આવેલ છે. જે પણ તાત્કાલિક રીપેરીંગ કરીને ધેડ પંથકના પશુઓને નિભાવ કરવા પાણી માટે માગ કરી છે તો સોમાસાની સિઝનમાં ધેડમાં પાણી ભરાતા મગફળીનો પાક નિષ્ફળ ગઈ હતો.
તો વળી ફરી ચણામાં રોગ આવતા ખેડૂતોની હાલત દયનીય બની ચુકી છે.
——- રિપોર્ટર વસંત અખિયા માંગરોળ ——