JETPURRAJKOT

વેરાવળના તબીબ ડો.અતુલ ચગ ના આપઘાત અંગે જેતપુરમાં લોહાણા મહાજન સમાજ દ્વારા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર પાઠવ્યું 

તા.૧૮ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વેરાવળ શહેર ના મશહૂર અને સેવાભાવી તબીબ ડો.અતુલ ચગ ના આપઘાત થી સમગ્ર લોહાણા સમાજ શોકમગ્ન હોઈ,આ નિર્દોષ તબીબ ના મૃત્યુ પાછળ નું સત્ય એમની સ્યુસાઇડ નોટ આધારે પોલીસે તટસ્થ રાહે કામગીરી કરી આ કિસ્સામાં જે કોઈ ચમરબંધી કસુરવાન હોઈ એમની સામે વહેલીતકે ન્યાયિક તપાસ કરી,કાયદાકીય કાર્યવાહી કરી દોષિત ને યોગ્ય સજા મળે કે જેથી આવી દુઃખદ ઘટના નું પુનરાવર્તન ના થાય. તે અંગે જેતપુર શહેર ની વિવિધ સમિતિ શ્રી લોહાણા મહાજન, રઘુવીર સેના, લોહાણા શરાફી મંડળી, વિરદાદા જશરાજ સેવા સમિતિ ના હોદેદારશ્રીઓ તથા અન્ય રઘુવંશી આગેવાનો એ તાલુકા સેવા સદન શ્રી મામલતદાર સાહેબ ને આ ડો.અતુલ ચગ ના આપઘાત પાછળ પૂર્ણ તપાસ થાય અને સદગત ના પરિવારને ન્યાય મળે એ માટે ઉચ્ચ કક્ષાએ રઘુવંશી સમાજ ની માગણી અને લાગણી અંગે રજૂઆત કરવા આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!