તા.૨૩ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સગર્ભા તરીકેની નોંધણી, સરકારી દવાખાનામાં પ્રસુતિ તથા બાળકના સંપૂર્ણ રસીકરણ માટે રૂ. ૬૦૦૦ ની સહાય
વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન રાજકોટ જિલ્લાની ૫૨૨૪ સગર્ભાઓને કસ્તુરબા સહાય યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા કસ્તુરબા સહાય યોજના અન્વયે પ્રસુતાઓને અપાનારી નિયત સહાય અન્વયે વર્ષ ૨૦૨૨-૨૩ ડીસેમ્બર સુધીમાં ૨૭૫૪ સગર્ભાઓને પ્રસૂતાને લાભ આપવામાં આવ્યો છે.
સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મહિલાઓ અને બાળકોને મળે તે માટે રાજયસરકાર પ્રતિબધ્ધ છે. આવી જ એક યોજના છે-કસ્તુરબા સહાય યોજના, જે વર્ષ ૨૦૧૧-૧૨ થી અમલમાં છે. આ યોજના અંતર્ગત સગર્ભાઓને પોષક આહાર મળે, સંસ્થાકીય પ્રસુતિ વધે તેમજ બાળકોનું સમયસર સંપૂર્ણ રસીકરણ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે. આ યોજના હેઠળ સગર્ભા માતાને વહેલી નોંધણી કરાવવાથી રૂા.૨૦૦૦, સરકારી દવાખનામાં પ્રસુતિ કરાવવાથી રૂા.૨૦૦૦ તથા બાળકનુ સંપૂર્ણ રસીકરણ કરાવવાથી રૂ.૨૦૦૦ એમ કુલ ૬૦૦૦ સહાય આપવામાં આવે છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.