GODHARAPANCHMAHAL

ગોધરાના સારંગપુર ગામના શ્રી જગદીશ વિદ્યામંદિર ખાતે આચાર્યનો યોજાયો વિદાય સમારંભ

ગોધરા

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી ગોધરા


 

આચાર્ય મોક્ષહનસિંહ રાઠોડનો ગામની શેરીઓમાં વરઘોડો કાઢી વિદાય આપી.

…………………………………….

 

ગોધરા તાલુકાના સારંગપુર ગામના શ્રી જગદીશ વિદ્યામંદિર સારંગપુર (ભાટડીના ઘોડા) ખાતે હાઈસ્કૂલના આચાર્યશ્રી મોહનસિંહ છત્રસિંહ રાઠોડનો વિદાય સમારંભ ભારે ઉલ્લાસભેર સંપન્ન થયો. આ સમારંભમાં શાળા મંડળના પ્રમુખશ્રી, શાળા મંડળના મંત્રીશ્રી, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, સંકુલના શિક્ષકો આચર્યશ્રીઓ તથા મહાનુભાવોની હાજરીમાં ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારંભમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ થયો હતો. દરમ્યાન વર્ષોથી ગામમાં આ વિદ્યામંદિર ખાતે શિક્ષક તરીકે અને છેલ્લા કેટલાક સમયથી આચાર્ય તરીકે સુંદર કામગીર કરનાર શ્રી મોહનસિંહ છત્રસિંહ રાઠોડનો ગામની શેરીઓમાં વરઘોડો કાઢી એક શિક્ષકને શોભે તેવા મળાજા સાથે સાજન માજન, વાંજતે ગાજતે તેમના માંદરે વતન રાયસીંગપુરા મુકામે જવા વિદાય આપી હતી. આ પ્રસંગે રાયસીંગપુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કમલેશભાઈ પરમાર સહિત ગ્રામજનો, હિતેચ્છુઓ શિક્ષકો અને સાંજના આગેવાનોએ પણ હાજર રહીને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં સારંગપુર, ભાટડીના ઘોડા, રિછીયા પોપટપુરા સહિત આજુબાજુના અનેક ગામના મોટી સંખ્યામાં વિધાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગ્રામજનો, શિક્ષકો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે ઉપસ્થિત સૌએ ભોજન લઈ એક ગુરુને ભાવવિભોર હૈયે વિદાય આપી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!