દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાલતમાં ટીબીના કુલ 28 દર્દીઓને દત્તક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું
તા.02.03.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાલતમાં ટીબીના કુલ 28 દર્દીઓને દત્તક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું
પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔધિયોગીક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર, કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે. જે અન્વયે આજ રોજ તા 02/03/2023ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાલત ખાતે આરોગ્ય સ્ટાફ દ્વારા કુલ 28 ટીબીના દર્દીઓને દત્તક લઈ ન્યુટ્રિશન કીટ આપવામાં આવી તેઓ દવારા કોમ્યુનિટી માથી વધુ લોકો નીક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને અપનાવે એવું આહવાન કરવામાં આવ્યું આ કાર્યક્રમમા જીલ્લા ક્ષય અઘિકારી ડૉ આર. ડી. પહાડીયા, Phc જાલત ના આરોગ્ય કર્મચારીઓ સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.આમ માન. પ્રધામંત્રીના ટીબી મુકત ભારત અભિયાન ને સફળ બનાવવા માટે દરેક વ્યકિત જોડાય તેવું આહવાન કર્યુ હતું
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.