વિજાપુર રોટરી ક્લબ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આયુષ મેળો યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
છેવાડાના માનવી સુધી આયુષની સેવાઓ પહોંચી શકે અને તે થકી પ્રજાજનોને સુખાયી અને દિર્ધાયુ પ્રાપ્ત થાય તે હેતુથી રાજ્ય સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુરૂવાર ના રોજ રોટરી ક્લબ ખાતે આયુષ મેળાનું આયોજન કરવા માં આવ્યું હતું આ મેળામાં આરોગ્યસલક્ષી માર્ગદર્શન તેમજ યોગ નિદર્શન,વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન,ઔષધ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતુ આ કેમ્પમાં આવેલા દર્દીઓ નું મફત સુગર અને બ્લડ ચેકઅપ કરવામાં આવ્યું હતુ આ ઉપરાંત રોગપ્રતિકાર આર્સેનિક આલ્બ-30 નું પણ વિતરણ કરવામા આવ્યુ હતુ આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યો રમણભાઈ પટેલ ,કાંતિભાઈ પટેલ, જીલ્લા આરોગ્ય ચેરમેન તેમજ જીલ્લા પંચાયત સદસ્ય રાજુભાઇ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ રમેશજી ચાવડા ,ભરત ભાઈ પટેલ, પૂર્વ સરપંચ માધુભાઈ પટેલ શામજીભાઈ ગોર , સંજય પટેલ પરેશ પટેલ હેલ્થ અધિકારી વિજયભાઈ પટેલ, ભારતીબેન પટેલ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સહીત આંગણવાડીની બહેનો આશા વર્કર બહેનો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા