વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
યુનેસ્કો તરફથી 1995 થી દર વર્ષે 23 એપ્રિલ વિશ્વ પુસ્તક અને કોપિરાઈટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તરફથી વિશ્વ પુસ્તક દિવસ અને કોપીરાઇટ દિવસની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લા સરકારી પુસ્તકાલય, આહવા ખાતે આજરોજ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ડી. પરમાર અને સરકારી માધ્યમિક શાળા,આહવાના યોગેશ નિકુંભની ઉપસ્થિતમાં આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય સાથે, સ્વાગત કરી, ઉપસ્થિત મહેમાનો દ્વારા ઉપસ્થિત જનોને આજના દિવસનું મહત્વ સમજાવ્યું હતું.
પુસ્તકો સમયના મહાન સમુદ્રમાં બાંધવામાં આવેલ દીવાદાંડી છે આ પ્રસંગે યોજાયેલ આઝાદી અને સાહિત્ય તથા કોમ્ટીટીય એકઝામના પુસ્તકનું પ્રદર્શન મહેમાન અને નિયમિત વાંચકો સાથે આ કાર્યક્રમ માટે ઉપસ્થિત ૪૦થી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી.
આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ગ્રંથપાલ લાડના દર્શન હેઠળ એમના સ્ટાફના રબિતાબેન સાથે શ્રીમતી આર. પી. નાયકે સખત મહેનત કરી હતી.