વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ | નવસારી
નવસારી વિજલપોર નગરપાલિકા તરફથી પેન્શન લેતા પેન્શન ધારકોને જણાવવાનું કે, નગરપાલિકા રેકર્ડ દફતરે તમામ પેન્શનરોએ તેમની હયાતીની ખરાઇ નવસારી વિજલપોર નગરપાલિકા ખાતે તા.૩૧/૦૭/૨૦૨૩ સુધી કરી લેવી. જે પેન્શનરોના હયાતીના ફોર્મ તા.૩૧/૦૭/૨૦૨૩ સુધી જમા થયેલ ન હોય તેમના ઓગસ્ટ પેઇડ ઇન સપ્ટેમ્બરનું પેન્શન જમા કરવામાં આવશે નહિ. જેની ખાસ નોંધ લેવા નવસારી વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફીસર શ્રી જે. યુ. વસાવા દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.