NAVSARIVANSADA

આઈ.ટી.આઈ મનપુર ખાતે Y – 20 ગુજરાત સંવાદનો કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ -વાંસદા

 

આઈ.ટી.આઈ મનપુર ખાતે Y – 20 ગુજરાત સંવાદનો કાર્યક્રમ યોજાયો. આઈ.ટી.આઈ મનપુર ખાતે G-20 સમીટ ના ભાગ રૂપે સમગ્ર ગુજરાતમાં ચાલતાં Y – 20 ગુજરાત સંવાદ જેની શરૂઆત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તારીખ 27 એપ્રિલના રોજ કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા અને નગરપાલિકા લેવલ કરવામાં આવી રહ્યો છે. તો વાંસદા તાલુકાનો પ્રોગ્રામ સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો વિષય Health, wellbeing in sport : Agenda for youth હતો. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે વાંસદા ભારતીય જનતા પાર્ટી ના ડોક્ટર સેલ ના સંયોજક ડોક્ટર લોચન શાસ્ત્રીએ વિસ્તૃત માહિતી આપી હતી સાથે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ગણપતભાઈ માહલા એ પણ રમતગમતનું યુવાનોમાં મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમનો સંચાલન વાંસદા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ સંજયભાઈએ કર્યું હતું.આ કાર્યક્રમમાં વાંસદા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રાકેશભાઈ શર્મા તથા સંજયભાઈ બિરારિ, સંજયભાઈ તથા સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના ઝોન સંયોજક હષિત દેસાઈ, જિલ્લા સંયોજક જીગરભાઈ પટેલ, વાંસદા તાલુકા સંયોજક કેતનભાઇ તેમજ કલ્પેશભાઈ તથા મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!