DANG

ડાંગ: ખાતળ ગ્રામ પચાયતનાં દીવડયાવન ગામ માં રૂ.3 લાખ નાં ખર્ચે બનેલાં સ્મશાનભુમિનો ધરાશાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ભષ્ટ્રાચારની ભવાઈ બની ગયેલી વધઈ તાલુકા પચાયત નો વધુ એક ભષ્ટ્રચાર
પેટા-વધઈ તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ માહલા નાં કાર્યકાળ માં તમામ ગ્રામ પચાયતોમાં મોટાપાયે ભષ્ટ્રાચાર આચરાઈ રહયો છે
ડાંગ જિલ્લા પચાયતના હસ્તક આવતા વધઈ તાલુકા પચાયત નાં ખાતળ પચાયતનાં દિવડયાવન ગામ માંપંદર ટકાવિવેકાધિન યોજનાં વર્ષ-2020-2021 માં અંદા3જીર ર રૂ.3 લાખ ખર્ચે  મંજુર થયેલ સ્મશાનભુમિ નું  શેડ ધરાશઈ થઈ જતાં કામ માં થયેલાં ભષ્ટ્રાચારની પોલ ખુલી ગઈ છે.

ડાંગ જિલ્લો પછાત જિલ્લો છે તેનાં વિકાસ માટે કેન્દ અને રાજય સરકાર દ્રારા ડાંગ માં દિવસે-દિવસે વિવિધ યોજનાઓ માં કરોડો રૂપિયાની ફાળવણી થાય છે પરંતુ અહિંનાં ભષ્ટ્ર અધિકારીઓ અને લુટારૂ નેતાઓ મોટાભાગની યોજનાઓ કાગળ પર કે પછી પોતાની સગા-સંબંધીઓનાં નામે એજન્સી ચલાવી વિકાસનાં કામો તદન હલકી કક્ષાનાં માત્ર નામ પુરતા જ સ્થળ પર બતાવી સરકારનાં કરોડો રૂપિયા ગપચાવી જાય છે ડાંગ જિલ્લામાં આઝાદી બાદ અણગીણત રૂપિયા ફાળવવામાં આવ્યાં છે જે રૂપિયા થી ડાંગ જિલ્લાનો વિકાસ થયો નથી આ પરંતુ ચોકકસ જ અહિંનાં ભષ્ટ્ર અધિકારીઓ અને નેતાઓનો વિકાસ થયો છે ડાંગ જિલ્લો વર્ષો સુધી કોગ્રેસનો ગઢ રહયો હતો મોદી સરકાર પર લોકોએ વિશ્ર્વાસ રાખી ડાંગ માં લોકોએ ભારે લીડ ભાજપ પક્ષને જીતાડયો છે પરંતુ લોકોને વિકાસ થશેની આશા પર પાણી ફેરવાયું છે રાજય અને કેન્દ્ર સરકાર જેટલા પણ રૂપિયા વિકાસ માટે આપે છે તેનો નેતાઓ અને અધિકારીઓ સ્વ વિકાસ માટે કરે છે જેનો ઊતમ ઊદાહરણ વધઈ તાલુકા પચાયત છે ડાંગ જિલ્લા પચાયતના હસ્તક આવતા વધઈ તાલુકા પચાયત નાં દિવડયાવન ગામે ખાતળ ગૃપ ગ્રામ પચાયતનાં પંદર ટકા વિવેકાધિન યોજનાં વર્ષ-2020-2021 માં અંદા3જીર રૂ.3 લાખનાં ખર્ચે  સ્મશાનભુમિ નું  શેડ મંજુર થયું હતું જેની કામગીરી દિવડયાવન ગ્રામ પચાયત દ્રારા કરવામાં આવી હતી જેનાં શાસકો દ્રારા સ્મશાનભુમિનાં શેડનાં કામ માં હલકીકક્ષાનાં કટાઈ ગયેલાં લોખંડનાં સળિયા,માટીવાળી રેતી,હલકી ગુણવતાની ઈંટ અને સિમેન્ટ,કપચી નો બાધકામ માં ઊપયોગ થતાં મહિનાઓમાં જ સ્મશાનભુમિનો શેડનો સ્લેબ ધરાશય થતાં ભષ્ટ્ર અધિકારીઓ અને નેતાઓમાં દોડધામ

પામી હતી સદનસીબે આ સ્લેબ ધરાશય થયો ત્યારે ડાંધુઓ ત્યાં હાજર ન હતાં જો હાજર હોત તો મોટી જાનહાની થઈ હોત

બોક્ષ-

———–

આ સ્મશાનભુમી શેડ નું કામ કરનાર રતિલાલભાઈ પોતે વધઈ તાલુકા પચાયત નાં સદસ્ય છે જેમનું કામ તેમનાં વિસ્તાર થતાં વિકાસનાં કામો માં ભષ્ટ્રાચાર ન થાય તેની તકેદારી રાખવાની છે જો કામ માં ભષ્ટ્રાચાર થાય તો તેની ફરીયાદ જે-તે તાલુકા પચાયતનાં પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીને કરવાની હોય છે પરંતુ અહિં તો વાડ જ ચીભડા ગળતી હોય તેની ફરીયાદ કોણે કરવી ડાંગ જિલ્લા નાં તાલુકા સદસ્યો , જિલ્લા પચાયત સદસ્યો અને પ્રમુખ જાતે કામો કરે છે .
બાઈટ- ખાતળ ગ્રામ પચાયત સરપચ નિતિનભાઈ દામુંભાઈ ગાઈન તેમને જણાવ્યું હતું કે ગ્રામ પચાયત નું વિભાજન થયું છે દિવડયાવન ગામ માછળી ગ્રામ પચાયત માં છે જેમાં હાલ વહીવટદાર નિમાયા છે તાલુકા સદસ્ય રતીલાલભાઈ એ વિસ્તારનાં હોય તેમને આ સ્મશાનભુમિનું શેડ બનાવ્યું છે જે હાલ તુટી ગયું છે

બાઈટ-2

વધઈ ટીડીઓ ભાર્ગવ માહલા તેમને જણાવ્યું હતું કે દિવડયાવન સ્મશાનભુમિ શેડ નું સ્લેબ ધરાશઈ થયું છે જેની મને જાણ છે મે એસોને સુચનાં આપી છે સ્થળ મુલાકાત લઈ કાર્યવાહી કરે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!