વિંછીયા ખાતે ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરતાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા: કિડનીના દર્દીઓને મળશે નિ:શુલ્ક સેવા
તા.૨ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિડનીના દર્દીઓ માટે તાલુકા કક્ષાનાં ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સેન્ટર ખાતેથી દર્દીઓને નિઃશુલ્ક સેવાનો લાભ મળશે, જેનો લાભ લેવા મંત્રીશ્રી બાવળિયાએ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ સાથે ગુજરાત આરોગ્ય ક્ષેત્રે મોડલ રાજ્ય બન્યું છે. વડાપ્રધાનશ્રીની “વન નેશન,વન ડાયાલીસીસ”ની આગવી પહેલ હેઠળ કિડની સંબંધી બીમારી સાથે સંકળાયેલા દર્દીઓને ૩૦-૪૦ કિમી ત્રિજ્યામાં જ ડાયાલીસીસની સારવાર મળી રહે તેવા સંનિષ્ઠ પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આ તકે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી સવિતાબેન વસાણી, અમરાપુર ગ્રામ સરપંચશ્રી મંજુબેન વસાણી, ગ્રામ અગ્રણીશ્રી લાલભાઈ ગઢવી, રેખાબેન, શામજીભાઈ થોરીયા, પરસોત્તમભાઈ, નાથાભાઈ વસાણી સહીત અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.