MORWA HADAFPANCHMAHAL

મોરવા હડપ તાલુકાના વાંસદેલીયા ગામમાં આકસ્મિક કારણસર આગલાગી હતી જે માં પૂજનીય સંતો દ્વારા રૂબરૂ મુલાકાત લીધી

વાત્સલ્યમ સમાચાર

રાગિણી દરજી મોરવા હડફ

 

મોરવા હડપ તાલુકાના વાંસદેલીયા ગામના બારીઆ લક્ષ્મણભાઈ સબુરભાઈના મકાનમાં તા.19-06-2023 ના રોજ રાત્રે ભયંકર આકસ્મિક આગ લાગવાથી આખું ઘર ભસ્મ થયું હતું. આ વાતની જાણ પૂજનીય સંતોને થતાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મણિનગર સ્વામિનારાયણ મંદિરના મહંત ભગવત્પ્રિયદાસજી સ્વામી તેમજ પંચમહાલના મહંત યોગપ્રિયદાસજી સ્વામીએ આજે રૂબરુ મુલાકાત લીધી અને ઘઉં, ચોખા, મકાઈ, દાળ, તેલ, મસાલા, ગોદડાં, કપડાં તેમજ જીવન જરૂરિયાતની તમામ ઘરવખરી, પશુઓ માટે ઘાસચારો તેમજ રોકડ રકમ ઉદાર હાથે આજ રોજ અર્પણ કરવામાં આવી. તેમજ પૂજનીય સંતો દ્વારા સ્વામિનારાયણબાપા સ્વામીબાપા આ પરિવારને આ આકસ્મિક આવી પડેલી અત્યંત દુઃખદ પરિસ્થિતિમાંથી બહાર કાઢે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!