“રોડ મા ખાડા કે ખાડા મા રોડ !”
૨૮ જુન વાત્સલયમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
ઉપલેટા તાલુકાના મેરવદર થી ખારચીયા રોડ અતિશય બિસ્માર હાલતમાં છે રોડ મા ખાડા પડી ગયા છે ખાડા મા રોડ થઈ ગયો છે તે સમજી શકાય તેમ નથી ઘણા સમયથી આ રોડ પર મોટા મોટા ખાડા પડી છે થોડાક સમય પેલા વારંવાર આ વિસ્તાર આગેવાનો અને ગ્રામજનો રોડ માટે વારંવાર રજૂઆત કરવામા આવી ત્યારે ફક્ત આ રોડ પર પડી ગયેલા ખાડા બૂરી ને તંત્ર એ સંતોષ માની લીધો હતો.
આ મેરવદર થી ખારચીયા ને જોડતા રોડ ત્રણ ગામો આવેલા છે અને મુખ્યત્વે પોરબંદર જિલ્લા થી જામનગર જિલ્લા ને જોડતા આ જરૂરિયાત અને અગત્ય નો રોડ છે પણ ઘણા લાંબા સમયથી આ રોડ બનાવવાની રાહ મા છે.