વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર થોડા સમય પૂર્વે મણિપુરમાં સવર્ણોએ આદિવાસી મહિલાઓને નગ્ન કરી જાહેર રોડ પર સરઘસ કાઢીને ખેતરોમાં ખેંચી જઈ બળાત્કાર ગુજાર્યો હતો.સાથે આ મહિલાનાં ભાઈ અને પિતાની નિર્દયી હત્યા કરી હતી.જે અંગેનાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર દેશ હચમચી ગયો છે.આ મણિપુરની ઘટના સાથે સંકળાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે દેશનાં જુદા જુદા વિસ્તારમાંથી ઉગ્ર જુવાળ ફાટી નીકળ્યો છે.દેશમાં બેટી સુરક્ષાની વાત કરતી ડબલ એન્જીન વાળી સરકાર સામે હાલમાં વિવિધ સંગઠનોએ વિરોધનો મોરચો ઉપાડી દોષિતોને કડક સજાની માંગણી કરી રહ્યા છે.ત્યારે આજરોજ ગુજરાત કૉંગ્રેસનાં ધારાસભ્યો સહીત વિવિધ આદિવાસી સંગઠનોએ ગુજરાત બંધનું એલાન જાહેર કર્યુ હતુ. પરંતુ રાજયના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં રવિવારે આહવા નગર સિવાય કોઈ સ્થળોએ પ્રતિસાદ મળ્યો ન હતો.ડાંગ જિલ્લાના આહવા,વઘઇ, સુબિર, શામગહાન સહીત સાપુતારા ખાતે મોટાભાગની તમામ દુકાનો દિવસભર ખુલી જોવા મળી હતી.ડાંગ જિલ્લામાં ગુજરાત બંધનાં એલાનનું સુરસુરયુ થઈ જતા આદિવાસી સંઘર્ષ સમિતિનાં આગેવાનોએ વ્યાપારીઓ સામે સોશિયલ મીડિયામાં બળાપો ઠાલવ્યો હતો…