માંગરોળ: લોએજ પાસે જૂની ખાણમાં યુવક ડૂબાયો, તંત્ર દ્વારા રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું,
* પાલિકા ,માછીમારોની કલાકોની જહેમત બાદ પણ પતો લાગ્યો નથી,
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામે મજુરીકામ કરતા અને એકલવાયું જીવન જીવતા આધેડ પાણીના ખાડામાં ગરક થઈ જતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. લોએજ ગામે એકલા રહેતા તુલસીભાઈ ઉકાભાઈ રાઠોડ ઉ.વ.50 સવારે ગુમ થયા હતા.માંગરોળ- પોરબંદર હાઇવે પર લોએજ ગામે પાસે આવેલ પથ્થરની ખાણના મોટા ખાડામાં વરસાદી પાણી ભરાયું છે.
અહીં તેઓના કપડાં, ચપ્પલ અને સાયકલ જોવા મળ્યાં હતાં. ગામના કેટલાક લોકોએ તેઓને ત્યાં નહાતા જોયા હોવાનું જણાવ્યું હતું, પરંતુ ત્યારબાદ તેમનો કોઈ પતો ન હતી.પરંતુ મળી આવ્યા ન હતા. પાણીમાં જ ડુબી ગયા હોવાની આશંકા વ્યકત કરી ગામલોકો એકત્ર થયા હતા.
આ અંગે તંત્રને જાણ કરતા મામલતદાર હંસરાજસિંહ ગોહિલ ધટના સ્થળે દોડી ગયા હતા. કેશોદ પાલિકાના ફાયર બ્રિગેડની મદદથી માછીમારોએ પણ પાણી ફંફોળી નાંખ્યા હતા. પરંતુ કલાકોની જહેમત બાદ પણ કોઈ પતો લાગ્યો ન હતો.24 કલાક બાદ આજે સવારે ની ખાણમાંથી વ્યક્તિનો મૃતદેહ મળ્યો મૃતદેહને માંગરોળ સિવિલ હોસ્પિટલમાં લવાયો આગળ કાયૅવાહી પોલીસ હાથી ઘરી છે
—— રિપોર્ટર વસંત અખિયા, માંગરોળ ——-
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.