BANASKANTHAGUJARATTHARAD

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદમાં ગુરુસભા યોજાઈ.

10 ઓગસ્ટ

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદ ખાતે તા. ૧૦/૮/૨૦૨૩ ગુરુવારના રોજ ‘ગુરુસભા : ગ્રંથપરિચય’  મણકા-૫નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અત્રેની કૉલેજના અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક પ્રા. ચિરાગ શર્માએ હિન્દી સાહિત્યના લોકપ્રિય કવિ હરિવંશરાય બચ્ચનના કાવ્યસંગ્રહ  *मेरी श्रेष्ठ कविताए* નો પરિચય કરાવ્યો હતો.  પ્રસ્તુત કાવ્યસંગ્રહમાંની મધુશાલાની રૂબાઈઓ તેમજ અન્ય કવિતાઓનુ ભાવવાહી પઠન તથા  આસ્વાદ કરાવી  શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા.  આ નિમિત્તે વક્તાને  ”સુમન શાહની ચૂંટેલી વાર્તાઓ’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૉલેજના આચાર્ય પ્રા. ભાવિક ચાવડાએ આ કાર્યક્રમ સંદર્ભે રાજીપો વ્યક્ત કર્યો હતો અને વિધાર્થીઓને પ્રસ્તુત પુસ્તકપરિચય  પ્રવૃત્તિમાં વક્તા તરીકે જોડાવા આહવાન કર્યું હતું. પ્રસ્તુત પ્રવૃત્તિના કો-ઓર્ડીનેટર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. રતિલાલ કા. રોહિતે આ કાર્યક્રમનું આયોજન તથા સંયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓ વિવિધ પુસ્તકોથી પરિચિત થાય, પોતે વાંચેલ પુસ્તકનો પરિચય આપતા શીખે અને વિશિષ્ટ પુસ્તકોના વાંચન તરફ વળે એવા ઉદ્દેશથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે.  પ્રસ્તુત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતાં અને કાવ્યોનો આસ્વાદ માણ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!