૧૬ ઓગસ્ટ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આનંદનગર પ્રા, શાળા થરાદમાં 77માં સવાતંત્ર્યદિનની શાનદાર ઊજવણી કરવામાં આવેલ જેમાં ધ્વજવંદન શિલ્પાબેન જગદીશભાઇ ચૌધરી આ શાળામાં ભણી M.Sc. B.ed.P.H.D …દ્વારા કરવામાં આવેલ. વયોવૃદ્ધ તરીકે શ્રી હસમુખલાલ મંગળદાસ સોનીનું સન્માન કરવામાં આવેલ અને બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ તે બાળકોને તથા શિક્ષકોને હેતલભાઈ સોની વૃંદાવન જવેલર્સ દ્વારા 500 રૂપિયાની વાઉચર કૂપન તેમજ બોલપેન અને લાયન્સ કલબ થરાદ દ્વારા પ્રમાણપત્ર અને એસ.એમ.સી. તેમજ વાલીગણ દ્વારા શાળાના બાળકોને ઈનામ તેમજ પ્રમાણપત્રવિતરણ કરવામાં આવેલ તમામને આચાર્યાશ્રી એમ.કે. મણવરદ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ તેમજ તમામમાં સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવેલ તેમણે અભિનંદન પાઠવેલ તેમજ ઉપસ્થિત તમામ મહેમાન વાલીગણ તથા દાતાઓનો ઉપ આચાર્ય ભગવાનભાઈ પ્રજાપતિએ આભાર માનેલ એમ.કે. મણવર આચાર્યાશ્રી આનંદનગર પ્રા. શાળા