BANASKANTHAGUJARATPALANPUR
સરદાર કૃષિનગર વિદ્યાલય..દાંતીવાડા માં SMC ના ચેરમેન શ્રી અરવિંદભાઈ પી પટેલ ના હસ્તે 77 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
17 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ના સરદાર કૃષિનગર વિદ્યાલય..દાંતીવાડા માં SMC ના ચેરમેન શ્રી અરવિંદભાઈ પી પટેલ ના હસ્તે 77 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યુંશાળામાં નવનિયુક્ત આચાર્યશ્રી તેજસભાઈ ડી જોશી સમગ્ર સ્ટાફ તથા એનસીસી તથા spc ના બાળકો તથા વિદ્યાર્થીઓએ ઉમળકા ભેર ભાગ લીધો અને દેશભક્તિના રંગે રંગાયા ત્યારબાદ સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડાના કુલપતિ શ્રી રવિભાઈ એમ ચૌહાણ ના હસ્તે સમૂહમાં સમગ્ર યુનિવર્સિટી કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને યુનિવર્સિટી ની જુદી જુદી શાખાઓ દ્વારા મેળવવામાં આવેલી સિદ્ધિઓને યાદ કરવામાં આવેલું તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોને યાદ કરવામાં આવ્યા