GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના મધવાસ ગેસ્ટ હાઉસ નીચે લોક કરી મુકેલા ત્રણ મોટરસાયકલ તસ્કરો દ્વારા ચોરી કરાઈ

તારીખ ૧૯/૦૮/૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

મોન્ટુ કુમાર નેનાજી ચૌહાણ રે. મોયદ તાલુકા પ્રાતિંજ જીલ્લા સાબરકાંઠા દ્વારા નોંધવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓ તથા મહેન્દ્રભાઈ તથા કૃણાલ અને સેધાજી ચૌહાણ પોતપોતાની મોટરસાયકલ લઈને અનગઢ ગામે મેલડી માતાના મંદિરે દર્શન કરવા નીકળેલા અને અનગઢ થી પાવાગઢ જઈ માતાજીના દર્શન કરી ૧૫ મી ઓગસ્ટના રોજ રાત્રિના ૧૧ કલાકે કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલા સિગનેટ ગેસ્ટ હાઉસમાં રાત્રે રોકાણ કરેલ તેઓ કુલ પાંચ મોટર સાયકલ ઉપર દશ ઈસમો આવ્યા અને રોકાયા હતા તેઓની બાજુના રૂમમાં ડેસર ના રણજીતસિંહ મોહનસિંહ પરમાર પણ તેઓની મોટરસાયકલ લઈને રાત્રિ રોકાણ કરેલ ગેસ્ટ હાઉસના નીચેના ભાગમાં લોક કરીને મુકેલ કુલ છ મોટરસાયકલ પૈકી ત્રણ મોટર સાયકલો સવારે જોતા જોવા મળેલ નહીં તેઓએ કાલોલ તથા આસપાસના વિસ્તારમાં તપાસ કરતા ત્રણેય મોટર સાયકલ મળી આવેલ નહીં જેથી કાલોલ પોલીસ મથકે મોટરસાયકલ ચોરાવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ત્રણ મોટરસાયકલની ચોરીનો ગુનો દાખલ કરી રૂ ૯૫,૦૦૦/ ની કિંમત ગણી ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ દ્વારા શરૂ કરવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!