GUJARATHIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં મારી માટી મારો દેશ અંતર્ગત ૩૮,૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશકુમાર ભરાડા-હિંમતનગર

 

સાબરકાંઠા જિલ્લામાં મારી માટી મારો દેશ અંતર્ગત ૩૮,૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

૫૩૦ અમૃતવાટિકાઓમાં શીલાફલકનો નિર્માણ કરાયું

સાબરકાંઠા જિલ્લામાં “મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારથી લઈ નગરપાલિકા વિસ્તાર સુધી કાર્યક્રમ યોજાયા હતા.

“મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની ૫૧૬ ગ્રામ પંચાયતો આઠ તાલુકા પંચાયતો તેમજ ૬ નગરપાલિકા ખાતે કાર્યક્રમ યોજાયા હતા. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ૫૩૦ અમૃતવાટિકાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ અમૃતવાટિકાઓમાં શીલાફલકમનું નિર્માણ કરી શહિદ વીરોને વંદન કરાયા. ગ્રામ પંચાયત ખાતે નિર્માણ પામેલ અમૃતવાટિકાઓમાં ૭૫ કે તેથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને આ વૃક્ષોને મનરેગા હેઠળ ઉછેરવામાં આવશે. સમગ્ર જિલ્લામાં ૩૮,૫૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ માં દરેક ગામની અમૃતવાટિકાની માટી એકઠી કરી તાલુકાકક્ષાએ લાવી એક કળશ માટે એકઠી કરવામાં આવશે એમ આઠ તાલુકાઓ માંથી આઠ કળશ અને છ નગરપાલિકાઓના માટીના કળશ મહાનગરપાલિકાઓ ખાતે જશે. આ માટીના કળશ દિલ્હીના રાજપથ ખાતે મોકલવામાં આવશે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!