GUJARATMAHISAGARSANTRAMPUR

એસટી વિભાગીય નિયામકશ્રી બી.આર. ડિંડોડ ની સંતરામપુર ડેપોમાં ઓચિંતી સરપ્રાઈઝ વિઝીટ

રિપોર્ટર….
અમીન કોઠારી
મહીસાગર

એસટી વિભાગીય નિયામક શ્રી બી આર દીન્ડોડ ની સંતરામપુર ડેપોમાં ઓચિંતી સરપ્રાઈઝ વિઝીટ

 

સફાઈ બાબતે કડક વલણ અપનાવ્યું

 

 

સંતરામપુર એસટી ડેપો નો કર્મચારી સ્ટાફ હરકતમાં આવ્યો.

 

 

માનનીય વડાપ્રધાન શ્રી એ સ્વચ્છતા અભિયાન ઉપર પૂરેપૂરો ભાર મૂકેલો છે એને અનુસંધાને એસટી વિભાગ પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં આવતા તમામ ડેપોમાં સ્વચ્છતા નો અભાવ જોવા મળે છે.

 

 

જેને લઈને એસ.ટી ગોધરા વિભાગીય નિયામક શ્રી બી.આર . દીંડોડ દ્વારા સંતરામપુર ખાતે આવેલ એસટી ડેપોમાં ઓચિંતી ફ્લાઈંગ વિઝીટ કરતા ડેપો ની અંદર જોવા મળતી ગંદકી વિશે કડક વલણ અપનાવીને તેમને સફાઈ માટે ભાર મૂકીને ડેપો ઉપર ટોયલેટ ,બાથરૂમ, પીવાના પાણીની ટાંકી તેમજ પ્લેટફોર્મ ઉપર કોઈપણ પ્રકારની ગંદકી કચરો અથવા બીજે કોઈ પણ પ્રકારની ગંદકી જોવા મળશે તો જે તે જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું કડક હાથે કામ લેતા સંતરામપુર એસટી ડેપોમાં આજે સંપૂર્ણપણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

જેના ભાગરૂપે ટોયલેટ બાથરૂમની સફાઈ પ્લેટફોર્મની સફાઈ એસટી બસોની સફાઈ તેમજ વર્કશોપ વિભાગની અંદર રહેતા કર્મચારીઓ એમના ટોયલેટ બાથરૂમ તેમજ જે તે વિસ્તારની આજુબાજુમાં ઠલવાતો ગંદો કચરો અને તે બધા કચરાનો નાશ કરવાનું કામ આજે હાથ ધરવામાં આવ્યું…

વિભાગીય નિયામક શ્રી બી.આર. દિંડોડ દ્વારા જણાવવામાં આવ્યું કે અમદાવાદ ઓફિસ દ્વારા એક અમારું સેલ ” સફાઈ અભિયાન સેલ “રાખવામાં આવ્યું છે જેને લઈને અમે પંચમહાલ વિભાગમાં આવતા સાત ડેપો અને તેના પેટા ડેપોમાં સફાઈના રોજેરોજ whatsapp ના માધ્યમથી ફોટા પણ મંગાવીએ છીએ અને આ તમામ ડેપો અને પેટા ડેપો હંમેશા માટે સાફ સુથરા રહે અને તેને હંમેશા સાફ રાખવામાં આવે તેવી ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઇને મુસાફર જનતા ને રોગચાળો નો ભોગ અથવા કોઈ બીમારીનો ભોગ ના બનવું પડે તેની ખાસ તકેદારી એસ.ટી.વિભાગ રાખી રહ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!