BANASKANTHAGUJARATPALANPUR

સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં શિક્ષકો માટે મુલ્યલક્ષી શિક્ષણ અંગેનો સેમીનાર યોજાયો

4 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ દ્વારા સમતા વિદ્યાવિહાર સંકુલમાં શિક્ષકો માટે મૂલ્યલક્ષી શિક્ષણ અંગેનો સેમિનાર આજ રોજ સમતા વિદ્યાવિહાર કોન્ફરન્સ હોલમાં યોજાયો,જેમાં સમતા વિદ્યાવિહાર બાલમંદિર,પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો તથા ધાણધાર વણકર સમાજના શિક્ષક મિત્રોએ ભાગ લીધો હતો.આ સેમિનારમાં વક્તા તરીકે સી કે મહેતા પીટીસી કોલેજ પાલનપુરના નિવૃત પ્રાધ્યાપક શ્રી એ જે મોગલ સાહેબે મુલ્યલક્ષી શિક્ષણ વિશે ધારદાર વક્તવ્ય આપી શિક્ષક ગણને પોતાના વ્યવસાયમાં વર્તમાન સમયમાં કેવી રીતે સજ્જ થવું તથા ક્લાસરૂમમાં કઈ રીતે અધ્યયન કાર્ય કરવું તેની સંપૂર્ણ માહિતી આપી હતી તેમના વક્તવ્યની શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી અને મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકીએ શ્રી એ જે મોગલ સાહેબનું શાબ્દિક તથા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાળીને સન્માન કર્યું હતું. આજના સેમિનારમાં શિક્ષક ભાઈ બહેનોએ ખૂબ જ રસ પૂર્વક અધ્યયન કરીને મૂલ્યલક્ષી શિક્ષણ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી આજના આ સેમિનારમાં ચા-નાસ્તો અને સેમિનારમાં ભાગ લેનાર દરેક શિક્ષક ભાઈ બહેનોને બોલપેનની ભેટ મજાદર ગામના શિક્ષકશ્રી વસંતભાઈ આર સોલંકીતરફથીઆપવામાંઆવી,કેળવણી મંડળ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!