નેત્રંગ : પ્રાથમિક કન્યાશાળાની બાળાઓ શિક્ષિકા બનીને સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી યોજી
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને કાયમ માટે યાદગાર બનાવવા ૫.મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. જે નિમિત્તે નેત્રંગ ગાંધી બજાર ખાતે આવેલ પ્રાથમિક કન્યા શાળામાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ શિક્ષિકા બનીને શિક્ષક દિન નિમિતે સ્વ શાસન દિન ની ઉજવણી કરવામાં આવી.
જેમાં શાળાની વિધાર્થિનીઓ દ્વારા શિક્ષક બની આખી શાળાનું સંચાલન કર્યું હતું. બાળકો દ્વારા જ બાળ શિક્ષક બની બાળકોને શિક્ષણ આપવના આવ્યું હતુ. સાથે જ સ્વચ્છતા અંગે ની રેલી યોજી ગ્રામજનોને સ્વચ્છતા માટે જાગૃત કર્યા હતા. આ રેલી દરમ્યાન વિધાર્થિનીઓ દ્વારા ” પ્લાસ્ટિક હટાવો, દુનિયા બચાવો..”, “સ્વચ્છતા લાગો, રોગ ભગાવો…” જેવા સૂત્રો સાથે શાળાના આચાર્ય પિયુષભાઈ પટેલની ઉપ્થિતિમાં સ્વછતા જાગૃતી અંગે રેલી યોજવમાં આવી હતી.