શ્રી જી.ડી.મોદી કૉલેજ ઓફ આજી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર દ્વારા એક વિશેષ પહેલ -પુસ્તક પરબ ને મળતો બહોળો પ્રતિસાદ
10 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
જી.ડી.મોદી કૉલેજ ઓફ આજી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર અને માતૃભાષા અભિયાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વિદ્યામંદિરના સહકારથી તારીખ 3 સપ્ટેમ્બર 23 ના રોજ શશીવન (જહાંઆરા બાગ) પાલનપુરમાં ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓના સાથ સહકારથી નિઃશુલ્ક પુસ્તક પરબ નો કાર્યક્રમ યોજાયો. દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે પાલનપુર અને આજુબાજુના સુજ્ઞ વાચકો માટે આ કાર્યક્રમ છેલ્લા પાંચ મહિનાથી યોજાય છે. દરેક વાચકને નિઃશુલ્ક બે પુસ્તકો વાંચવા માટે અપાય છે. આજે જી. ડી. મોદી વિદ્યા સંકુલના ભૂતપૂર્વ ડાયરેક્ટર અને પ્રિન્સિપાલ શ્રી ડૉ. હાથી સાહેબ ઉપસ્થિત રહીને તેમણે પુસ્તકો દાનમાં આપેલ અને પુસ્તક પરબના કાર્યક્રમને બિરદાવેલ. કોલેજના પ્રિન્સિપાલ ડૉ .એસ.જી. ચૌહાણ સાહેબના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજાય છે. પુસ્તક પરબના સંયોજક તરીકે ડૉ. સોહન દવે અને સહ સંયોજક તરીકે ડૉ .કલ્પનાબેન ગાંવિત સેવાઓ આપે છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.