તા.૩/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાનો ઓગસ્ટ માસનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬ ઓક્ટોબરે સવારના ૧૧-૦૦ કલાકે કચેરીના ત્રીજા માળે સભાખંડમાં યોજાશે, જેમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો ફરિયાદો તા. ૧૦-૧૦-૨૦૨૩ સુધીમાં સંબંધિત ખાતા–વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં જે તે વડાને પહોંચતા કરવાના રહેશે. અરજીમાં મથાળે ‘‘જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે.
મહેસુલી તંત્રને લગતાં પ્રશ્નો રાજકોટ જિલ્લા પૂરતા, જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે તા. ૧૦-૧૦-૨૦૨૩ સુધીમાં રજુ કરવાનાં રહેશે. તા.૧૦-૧૦-૨૦૨૩ બાદ આવેલ કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી, નામ સરનામાં વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરીક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી, પ્રથમ વખતની અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. જેની અરજદારોએ ખાસ નોંધ લેવા કલેકટર કચેરી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.