GUJARATHALOLPANCHMAHAL

પંચમહાલ-સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રી પર્વને લઈને દર્શનના સમયમાં ફેરફારો કરાયા,જાણો વિગત

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૦.૧૦.૨૦૨૩

આગામી 15 ઓક્ટોબર થી આરંભ થઇ રહેલ આસો નવરાત્રી પર્વને લઇ પંચમહાલ જીલ્લા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન જગત જનની માં કાલિકા ના દર્શાનર્થે લાખો ની સંખ્યામાં ઉમટી પડતા માઇ ભકતો ને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શને આવતા યાત્રાળુઓ ને દર્શન થાય તે માટે નવરાત્રી દરમ્યાન માતાજીના દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આગામી રવિવાર અને 15 મી ઓક્ટોબર ના રોજ થી આસો નવરાત્રી શરુ થઇ રહી છે.જેને લઇ વહીવટી તંત્ર સહીત મંદિર ટ્રસ્ટ પણ માતાજીના દર્શન માટે આવનાર માઇ ભક્તો ને લઇ સજ્જ બની ગયું છે. માતાજીના ભક્તો ને દર્શન કરવા માં તકલીફ ના પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજી ના દર્શન નો સમય એક અખબારી યાદી માં જણાવ્યા મુજબ આસો નવરાત્રી દરમ્યાન એટલે કે આસો સુદ એકમ થી શરદ પૂનમ સુધી મંદિર નો નિજ દ્વાર સવારે 5.00 કલાકે થી માતાજીના દર્શન માટે ખુલ્લો મુકવામાં આવશે જે રાત્રીના 9.00 કલાકે બંધ કરવામાં આવશે.પરંતુ નવરાત્રી દરમ્યાન આવતા રવિવારો અને શરદ પૂર્ણિમા ના રોજ મંદિર નો નિજ દ્વાર સવારે 4.00 કલાકે ખુલ્લો મુકવામાં આવશે જે રાત્રીના 9.00 કલાકે બંધ કરવામાં આવશે.તેમ જાણવા મળ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!