વિજાપુર એસ.ટી બસ સ્ટેન્ડને ચોખ્ખા ચણક બનાવાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સમગ્ર દેશ માં ચાલતા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુજરાત.એસ.ટી.નિગમના આદેશ મૂજબ મોટાભાગના વિજાપુર તાલુકાના બસ સ્ટેન્ડોમાં એસટી વિભાગે સફાઇ કરી ચોખ્ખા ચણક બનાવવામાં આવ્યા હતા ડેપો મેનેજર ચૌધરી ની અધ્યક્ષતા માં સામાજીક કાર્યકર્તાઓ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અંગનો કાર્યક્રમ યાજાયો હતો મહાનુંભાવાનો સાનિધ્ય માં સમાજ માં સ્વચ્છતા અંગે ની જન જાગૃતિ ફેલાય અને સામાન્ય જનતા માં સ્વચ્છતા નું મહત્વ સમજાય એવા ઉમદા ઉદ્દેશ ને ધ્યાન માં રાખી ને યોજવા માં આવેલ સ્વચ્છતા કાર્યક્રમમાં બસપોર્ટ ના કર્મચારીઓ એસટી ના કર્મચારીઓ સામાજીક કાર્યકરો સહર્ષ જોડાયા હતા. સ્વચ્છતા અંગેના સમગ્ર રાષ્ટ્ર માં આરંભાયેલા આ જનજાગૃતિ અભિયાન ના મહાયજ્ઞ ને વેગ આપવા અને જાહેર જનતા ને જાગૃત કરવા માટે સતત પબ્લિક ની અવરજવર થી ધમધમતા જાહેર ક્ષેત્ર માં સામાન્ય જનતાની જેમ સ્વચ્છતા અભિયાન માં જોડાઇ ને એક નવી અનોખી પહેલ કરી સમાજ ને નવી રાહ ચીંધી હતી