ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ શહેરની ૩ દુકાનોમાં રેડ પાડી ખાદ્યતેલના નમુના લેવાયા

આણંદ શહેરની ૩ દુકાનોમાં રેડ પાડી ખાદ્યતેલના નમુના લેવાયા

 

 

અંદાજીત રૂ. ૧.૯૬ લાખની કિંમતનું ૧,૩૯૩ કિલોગ્રામ ખાદ્યતેલ જપ્ત કરવામાં આવ્યું

 

 

 

તાહિર મેમણ આણંદ, 17/10/2023 – મંગળવાર :: આણંદ જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા આણંદ શહેરમાં સરદાર ગંજ વિસ્તારમાં આવેલ મહેશ્વરી ટ્રેડર્સ, ઝૂલેલાલ ટ્રેડર્સ અને શ્રીગણેશ ટ્રેડર્સ ખાતે ખાદ્યતેલની તપાસ હાથ ધરી અંદાજીત રૂ. ૧.૯૬ લાખની કિંમતનું ૧,૩૯૩ કિલોગ્રામ ખાદ્યતેલ જપ્ત કરવામાં આવ્યું છે.

 

જે અંતર્ગત મહેશ્વરી ટ્રેડર્સ ખાતેથી તિરૂપતિ રિફાઇન્ડ કપાસિયા તેલ અને આનંદ રિફાઇન્ડ કપાસિયા તેલના નમુના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઝૂલેલાલ ટ્રેડર્સ ખાતેથી આરતી રિફાઇન્ડ કપાસિયા તેલ અને શ્રેષ્ઠ રિફાઇન્ડ કપાસિયા તેલના નમુના લઈ અંદાજીત રૂ. ૫૮,૭૦૪ ની કિંમતનું ૩૪૭ કિલોગ્રામ તેલ તથા શ્રીગણેશ ટ્રેડર્સ ખાતેથી કૈલાશપતિ રિફાઇન્ડ કપાસિયા તેલ અને સત્યમ રિફાઇન્ડ કપાસિયા તેલના નમુના લઈ અંદાજીત રૂ. ૧,૩૮,૨૧૧ ની કિંમતનું ૧૦૪૬ કિલોગ્રામ તેલ મળી અંદાજીત રૂ. ૧.૯૬ લાખની કિંમતનું ૧,૩૯૩ કિલોગ્રામ ખાદ્યતેલ જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ તમામ નમુનાઓને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ડેઝિગ્નેટેડ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!