વિજાપુર રોટરી ક્લબ ખાતે તાલુકા કક્ષાનો અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ રૂપે વિજાપુર રોટરી ક્લબ ખાતે તાલુકાની કળશ યાત્રા નો કાર્યક્રમ સાંસદ શારદાબેન પટેલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અમૃત કળશ યાત્રામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી સરપંચ સદસ્ય તેમજ ગ્રામજનો અમૃત કળશ યાત્રા જોડાઈ સ્વમાનભેર પહોંચાડવામાં આવેલ હતી. તમામ ગ્રામ્ય સ્તરે આવેલ અમૃત કળશમાં ગ્રામજનો દ્વારા અર્પણ કરેલ માટી અને ચોખા દ્વારા તાલુકાનાં અમૃત કળશમાં એકત્રીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન દેશના વીર જવાનો, સ્વાતંત્ર્ય સેનાનીઓની દેશભકિત અને બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા. તેમજ તાલુકા કક્ષાએ તૈયાર કરવામાં આવેલ અમૃત કળશમાં મહાનુભાવો દ્વારા ગ્રામ્ય કક્ષાના કળશમાંથી માટી ચોખાને અર્પણ કરવામાં આવ્યા હતા.કળશ યાત્રા અંતર્ગત તમામ ગ્રામજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રબુધ્ધ નાગરિકોને પંચપ્રાણની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.