વાલિયા રેંજની પંચવટી વિકાસ કેન્દ્રનું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૮/૧૦/૨૦૨૩
વાલિયા તાલુકાના સામાજિક વનીકરણ વિભાગ વાલિયા રેંજની પંચવટી વિકાસ કેન્દ્રનું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેષ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું .ત્યારબાદ 15 ઓક્ટોબર ના રોજ લીમડી ફળીયાના રમીલાબેન મંગા વસાવાનું દીપડા દ્વારા હુમલો કરવાથી મૃત્યુ થયું હતું. જેથી વનવિભાગ તરફથી એમના કુટુંબીજનોને ઝઘડિયા ધારાસભ્યના હસ્તે રૂ. 5 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. ત્યારે તા.પં.પ્રમુખ સીતાબેન વસાવા, ઉપપ્રમુખ દિનેશ વસાવા,સંગઠન પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ, સામાજિક વનીકરણના આર.એફ.ઓ મહિપાલસિંહ ગોહિલ તેમજ બી.જે.પીના અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.