તરણેતર ખાતેના ત્રિનેત્રેશ્વર મંદિર તેમજ ચોટીલા ખાતેના ચામુંડા માતાજી મંદિરની આસપાસ સફાઈ કરાઈ.
તા.29/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે જે અન્વયે રાજ્યભરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, સમુદ્ર કિનારાની સફાઇ, ધાર્મિક સ્થળોની સફાઈ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે આ અભિયાનના ભાગરુપે આજરોજ રવિવારના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતેના ત્રિનેત્રેશ્વર મંદિર તેમજ ચોટીલા ખાતેના શ્રી ચામુંડા માતાજી મંદિરના પરિસરમાં તેમજ મંદિરની આસપાસ સફાઈ માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત મંદિરના સેવકો, સ્થાનિક નાગરિકો તેમજ સફાઈ કર્મચારીઓએ સાથે મળીને આ મંદિર ફરતે સફાઈ કામગીરી કરી હતી તેમજ મંદિરની આસપાસ રહેલો કચરો અને ધૂળનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિઓમાં લોકો સહભાગી બની રહ્યા છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.