વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત દેશભરમાં અનેકવિધ થીમ હેઠળ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ કરાઈ રહી છે. ત્યારે આજરોજ
સ્વચ્છતા હી સેવા અંતર્ગત સત્યસાંઈ સેવા મંડળના સ્વચ્છતા પ્રેમીઓ અને ગણદેવી નગરપાલિકા કવર્મચારીઓ દ્વારા કસ્બાળી વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું અને જંતુ નાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યું.આવો, સ્વચ્છ-નિર્મળ ગુજરાતના નિર્માણમાં આપણે સૌ જોડાઈએ અને આપણી આસપાસનો વિસ્તાર સાફ અને સ્વચ્છ રાખીયે.