ARAVALLIBHILODA

પૂજ્ય નરસિંહભાઈ ભાવસારની 29 મી પુણ્યતિથિ નિમિત્તે સર્વોદય આશ્રમ નૂસિંહ ધામ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

પૂજ્ય નરસિંહભાઈ ભાવસારની 29 મી પુણ્યતિથિ નિમિત્તે સર્વોદય આશ્રમ નૂસિંહ ધામ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

20 મી સદીના મહામાનવ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજના ઉદ્ધારક, ગરીબોના બેલી પૂજ્ય નરસિંહભાઈ ભાવસારની 29 મી પુણ્યતિથિ આજરોજ સર્વોદય આશ્રમ નૂસિંહ ધામ ખાતે સંસ્થાના સંચાલક શ્રી સોનજીભાઈ બારીયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ, પૂજ્ય મોટાભાઈને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, સલાહકારશ્રીઓ, વિવિધ વિભાગના આચાર્યશ્રીઓ, વિભાગના સૌ શિક્ષક કર્મચારી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા, શ્રી બાબુભાઈ નાઈ સાહેબ, શ્રી વિદ્યાસાગરભાઈ નીનામા સાહેબ, શ્રી રાજુભાઈ પાંડોર સાહેબ, શ્રી વસંતભાઈ પટેલ એ પૂજ્ય મોટાભાઈ ના કાર્યો તેમજ આ વિસ્તારમાં કરેલા સેવાના કાર્યોની જાણકારી આપી હતી સંસ્થાના સંચાલક શ્રી સોનજીભાઈ બારીયા સાહેબે પૂજ્ય મોટાભાઈએ આદિવાસી સમાજના શિક્ષણ તેમજ સમાજ સુધારણા ના ઉત્થાન માટે કરેલા કાર્યોને આપ સૌએ આગળ વધારવા આહવાન કર્યું હતું સંસ્થાના સૌ કર્મચારીઓએ પૂજ્ય મોટાભાઈ ના વિચારોને ઉજાગર કરવાની ખેવના વ્યક્ત કરી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!