GIR GADHADAGUJARAT

ગીરનાર લીલી પરિક્રમામાં ખાપટ ગામના યુવાનો દ્વારા અવિરત બાર વર્ષ થી અપાઈ રહી છે ફ્રી ચા પાણી ની સેવા 

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીરનાર લીલી પરિક્રમામાં ખાપટ કપાસિયા  ગામના  યુવાનો દ્વારા અવિરત બાર વર્ષ થી અપાઈ રહી છે ફ્રી ચા પાણી ની સેવા

ખાપટ આશ્રમ ના સંત શ્રી પુરુષોત્તમ ગીરી બાપુ ગુરુ શ્રી ભીમગીરી બાપુ કે જેને ભક્ત જનો સૌ કપાસીબાપુ તરીકે ઓળખે છે તેના સેવકો દ્વારા છેલ્લા બાર વર્ષ થી નિયમિત રીતે ગિરનાર પરિક્રમા ના ભાવિકો ની સેવા માટે ચા પ્રસાદ નું કેન્દ્ર પરિક્રમા રુટ પર હજારો ભાવિકો ની ચા પ્રસાદ દ્વારા સેવા કરી સદગુરુ શ્રી કપાસી બાપુ ની સ્મૃતિ વંદના દ્વારા ગુરુ ચેતના ને જીવંત રાખવાનો આશ્રમ ના સેવકો (કપાસી સેના ના સેવકો ) નો પ્રયાસ ખરેખર અભિનંદન ને પાત્ર છે .સેવકો સર્વ શ્રી ગોપાલભાઇ , પ્રવીણ ભાઇ , સાદુળ ભાઇ ,સાગરભાઇ ,મોદી ભાઇ ,સંજયભાઇ ,યોગેશભાઇ ,નિતિનભાઇ ,ધવલભાઇ ,સંજયભાઇ ,બાલુભાઈ , ભદ્રેશભાઇ ,મનુભાઇ ,હર્ષદભાઈ પત્રકાર તથા અન્ય સૌ નામી અનામીસેવકગણ તથા આ સત્કાર્ય મા આર્થિક સહયોગ , પ્રેરણા , માર્ગ દર્શન જેમના તરફ થી સતત મળતા રહે છે તેવા સર્વ શ્રી નવિનદાદા પંડયા , છેલભાઇ જોષી ,જોષી સાહેબ , સંજયભાઇ , ચિરાગભાઇ , કૈલેશભાઇ તથા અન્ય સૌ નામી અનામી શુભેચ્છકો ની ગુરુ નિષ્ઠા અભિનંદનીય છે .ઉલલેખનીય છે કે કપાસીબાપુ સેવક સમુદાય દ્વારા પુજય બાપુ ની ચેતન સમાધિ ના આશીર્વાદ થી દર મહિના ની વદ અગીયારશના રોજ બટુક ભોજન , ચેતન સમાધિ અખંડ જયોત , પંખી ને ચણ ,શ્વાન ભોજન જેવાપુજય બાપુ ના પરંપરાગત સત્કાર્યો છેલ્લા ૧૪ વર્ષ થી ગુરુકૃપા થી અવિરત ચાલુ છે .

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!