જનકલ્યાણકારી યોજનાઓના લાભોના વિતરણ સાથે ડ્રોન નિદર્શન કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું વંથલીના શાપુર ગામે ગ્રામજનોએ જાજરમાન સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમણે કેન્દ્ર -રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો ઉપરાંત વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપી ભારતમાતાનું ઋણ ચૂકવવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે શાપુર ગામને ODF + મોડલ ગામ જાહેર કરાયું હતું. તેનું પ્રમાણપત્ર શાપુર ગ્રામ પંચાયતને એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૯૦ ટકા સરકારના અને ૧૦ ટકા ગ્રામજનોના સહયોગથી નલ સે જલ યોજના હેઠળ શાપુર ગામે પીવાના પાણીની સુવિધા માટે જન ભાગીદારીથી નિર્માણ પામેલ આ સુવિધા માટે ગ્રામ પંચાયતને અભિનંદન પત્ર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
આ સાથે ગ્રામજનોને કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે તેના લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગ્રામજનોએ પ્રાથમિક હેલ્થ ચેકઅપનો પણ લાભ લીધો હતો.
આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન કાર્ડ સહિતના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડ્રોન નિદર્શન પણ રાખવામાં આવ્યું હતું. ઉપરાંત ગ્રામજનોને ધરતી કરે પુકારના માધ્યમથી પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
કેન્દ્ર રાજ્ય સરકારની ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓના લાભ મેળવવાથી પોતાના જીવનમાં આવેલા બદલાવ વિશે લાભાર્થીઓએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા કેન્દ્ર-રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ૨૦૪૭ સુધીમાં ગ્રામજનો વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બન્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ભારત વિકસિત વિકસિત સંકલ્પ યાત્રા જૂનાગઢ જિલ્લામાં ગામે ગામ ફરી રહી છે, આ સાથે કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની લોકોને જાણકારી આપવામાં આવી રહી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, અગ્રણી અતુલભાઇ કોટડીયા, વિસ્તરણ અધિકારી વી.એચ. બારડ વિસ્તરણ અધિકારી ગજેરા, ગ્રામ અગ્રણી શૈલેષભાઈ કાચા ઉપરાંત જુદા જુદા વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.