કુદરતી આપત્તિને પોહચી વળવા નર્મદા જિલ્લાને બોટ સહિત ૩૦ પ્રકારના સાધનોની ફાળવણી કરાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પૂર, ધરતીકંપ જેવી કુદરતી આફતો સર્જાતી હોવાના પૂર્વ તૈયારીના ભાગરૂપે આપદામિત્ર અને ઈમરજન્સીમાં કાર્ય કરતા તમામ પ્રકારના સ્ટાફને તાલીમ આપવી, બચાવ સાધનોથી સજ્જ રહેવુ અને લોકજાગૃતિના કાર્યક્રમો દ્વારા ભવિષ્યની આફતી સામે સજ્જ થવા સરકારે કટિબધ્ધતા વ્યક્ત કરી છે.
આ કાર્ય અર્થે સરકાર (ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર) દ્વારા નર્મદા જિલ્લાને બોટ સહિત ૩૦ પ્રકારના આફ્ત સમયે શોધ અને બચાવ કાર્ય માટે સાધનોની ફાળવણી કરવામાં આવી છે.
ઉપરાંત આવનારા સમયમાં આફતી પછીના બચાવ કાર્યો સાથે આફતની પૂર્વ તૈયારી અને માનવબળને વધુ તાલિમબધ્ધ કરવાનું પણ આયોજન કરવામાં આવનાર છે