GUJARATHALOLPANCHMAHAL

પંચમહાલ પોલીસ દ્વારા પાવાગઢ ડુંગર ઉપર સાફ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૮.૧૨.૨૦૨૩

સ્વચ્છ ભારત અંતર્ગત ક્લીન ભારત ગ્રીન ભારત હેઠળ યાત્રાધામો ને સ્વચ્છ કરવાના અભિયાન ને લઇ આજે પંચમહાલ જિલ્લાના યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતા હેઠળ સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા ના સાત તાલુકા પોલીસ મથક ના 200 ઉપરાંત પોલીસ કર્મચારીઓ આ સ્વચ્છ અભિયાન માં જોડાયા હતા.આથી નવ વર્ષ પહેલા 2જી ઓક્ટોબર 2014 થી દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તે અભિયાન ને વધુ વેગ આપવા હાલમાં ક્લીન ભારત ગ્રીન ભારત હેઠળ યાત્રાધામો ને સ્વચ્છ બનાવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં યાત્રધામોને સ્વચ્છ કરવાના લોક સંદેશો આપવા આજે વહેલી સવારે પંચમહાલ જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ ની અધ્યક્ષતામાં જિલ્લા ના સાત તાલુકા પોલીસ મથક ના પી.આઈ, પી.એસ.આઈ, પોલીસ કોસ્ટેબલ, એલ..સી.બી., એસ.ઓ.જી. સહીત 200 ઉપરાંત પોલીસ જવાનો ઉપસ્થતિ રહી જુદી જુદી ટુકડીઓ બનાવી પાવાગઢ માંચી થી ડુંગર પર આવેલ દુધિયા તળાવ તેમજ મંદિર પરિસદ સુધી ના વિસ્તાર ને સ્વચ્છ કરવામાં આવ્યું હતું.આજે યાત્રાધામ પાવાગઢ ખાતે પોલીસ કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાતા લોકોને સંદેશ પાઠવામાં આવ્યો હતો અને લોકોને અપીલ કરવામાં આવી હતી કે પોતાનું આંગણું, પોતાના વિસ્તાર,ગામ શહેર, તેમજ દેશ ને સ્વચ્છ રાખવા સ્વચ્છ ભારત અંતર્ગત ક્લીન ભારત ગ્રીન ભારત હેઠળ યાત્રાધામો ને પણ સ્વચ્છ રાખવા જણાવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!