નસવાડી મામલતદાર અને નાયબ પુરવઠા મામલતદારએ વધારેમાં વધારે ગરીબ લોકોને વિના મુલ્યે ગેસ કનેકશન મળે તેવા પ્રયાસો હાથ ધર્યા
નસવાડી તાલુકાની ગરીબ પ્રજાને પ્રધાનમંત્રી ઉજવાલા યોજનામાં વિના મુલ્યે ગેસ કનેકશન મળે તે માટે નાયબ પુરવઠા મામલતદાર અને મામલતદારએ સસ્તા અનાજ સંચાલકોને બોલાવીને જરૂરી સૂચનાઓ આપી
નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને ગરીબી નું પ્રમાણ વધારે પડતું છે ગામડામાં ગરીબ મહિલાઓ આજે પણ ચૂલો સળગાવવા માટે મજબૂર છે હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગરીબ લાભાર્થીઓને વિના મુલ્યે પ્રધાનમંત્રી ઉજ્વલા ગેસ કનેક્શન નો લાભ ઘર આંગણે આપવામાં આવી રહ્યો છે પરંતુ હજુ એવા ગણા ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો નથી તેવા ગરીબ પરિવારોને જલ્દી વિના મુલ્યે ગેસ કનેક્શન નો લાભ મળે તે માટે નાયબ પુરવઠા મામલતદાર તેમજ મામલતદારએ સસ્તા અનાજ સંચાલકોને બોલાવી મીટીંગ બોલાવી હતી અને સંચાલકોને જરૂરી સૂચના ઓ આપી હતી પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનામાં હજુ ઘણા ગરીબ પરિવારો ગેસ કનેકશન થી વંચિત છે તેવા પરિવારોની યાદી બનાવી જરૂરી કાગળો એકત્રિત કરીને નજીકની ગેસ એજન્સી ઈ કેવાયસી માટે આપવા માટે સૂચના આપવામાં આવી હતી