CHIKHLIGUJARATNAVSARI

Navsari: ચીખલીના વાંઝણા ગામની રમીલાબેન પટેલે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરિમયાન આપ્યા પ્રતિભાવો

મદન વૈષ્ણવ-નવસારી
” સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ બનેલ શોચાલયથી ચોમાસની ઋતુમાં અમારા પરિવારને ઘણી રાહત થઈ છે –  રમીલા બેન પટેલે (લાભાર્થી, વાંઝણા -ચીખલી)

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા”  નવસારી જિલ્લાના ગામેગામ ફરીને ભારત સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃત કરી, લાભાર્થીઓને ઘર આંગણે જ લાભોનું વિતરણ કરવામાં આવી રહયું છે.
<span;> જે કાર્યક્રમ અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ચીખલી તાલુકાના વાંઝણા ગામે મેરી કહાની મેરી જુબાની કાર્યક્રમ અન્વયે વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ  કર્યા હતા. આ પ્રસંગે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રૂા.૧૨૦૦૦/- ની સહાય પ્રાપ્ત કરી પોતાના ઘરે શોચાલ્યની નિર્માણ કરનાર રમીલા બહેન પટેલે પોતાના પ્રતિભાવ રજુ કર્યા હતા.

સ્વચ્છ ભારત મિશનના યોજનાના લાભાર્થી રમીલાબેન પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મને શૌચાલયની સુવિધા મળી છે. આજે અમારા પરિવારના દરેક સભ્યોના સમયમાં ઘણો બચાવ થાય છે અને ઘરના દરેક સભ્યો શોચાલયનો નિયમિત ઉપયોગ કરે છે. પહેલા મારા ઘરે શૌચાલય નહી હોવાના કારણે વરસાદની ઋતુમાં ઘણી તકલીફ પડતી હતી.  પરંતુ સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મને શૌચાલયની સુવિધા પ્રાપ્ત થઇ જે બદલ હું સરકારનો આભારી છુ. સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ બનેલ શોચાલયથી ચોમાસમની ઋતુમાં અમારા પરિવારને ઘણી રાહત થઈ છે. આપ પણ આ યોજનામાં જોડાઇ તેનો લાભ લઈ શકો છો.
તેમણે સ્વચ્છ ભારત મિશન યોજના થકી મારા જેવી અનેક બહેનોને લાભ થયો છે. જેથી તેઓએ સરકારશ્રી અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!