DANGGUJARATWAGHAI

Dang: વઘઇ તાલુકાના કાલીબેલ ખાતે શુભમ નેત્રસેવા ટ્રષ્ટ સીતાપુર દ્વારા નિઃશુલ્ક નેત્ર તપાસ શિબિર યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ શુભમ નેત્રસેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામા આવેલ કાલીબેલ સ્વરાજ આશ્રમશાળા ખાતે આજરોજ નેત્ર શિબિર યોજાઇ હતી આ નેત્ર શિબિર સ્વ. શ્રી લલ્લુભાઈ ભગવાનભાઇ પટેલ, ગામ-મલિયાધારા ના પૂણ્ય સ્મરણાર્થે શ્રીમતિ જમનાબેન લલ્લુભાઈ પટેલ અને સમસ્ત પરિવાર તરફથી જનસેવા અર્થે યોજવામાં આવી હતી. આ નિશુલ્ક શિબિરમા  આશ્રમશાળાના સંચાલક રમેશભાઈ, ડો.સુશીલકુમાર ચૌધરી તથા ટ્રસ્ટના ટ્રસ્ટી અને એડમિનિસ્ટ્રેટર અક્ષાણીકુમાર ચરીવાલા અને ટ્રસ્ટી શ્રીમતિ જમનાબેન પટેલ સહિત સરપંચ મહેશભાઈ રાઉત ઉપસ્થિત રહ્યા હતા. આ નિશુલ્ક આંખ તપાસ શિબિરનું 389 જેટલા દર્દીઓ લાભ લીધો હતો. જેમાં 229 જેટલા આશ્રમશાળામાં રહેતા વિદ્યાર્થીઓની પણ તપાસ કરી હતી. આ શિબિરમાં  38 જેટલા મોતીયાના ઓપરેશનવાળા દર્દીઓને નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ 92 જેટલા દર્દીઓને નિશુલ્ક ચશ્મા અને 15 દર્દીઓને નિશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!