DEDIAPADAGUJARATNARMADA

સાગબારા અને દેડિયાપાડા તાલુકાના ગામોમાં કેમ્પ યોજાયા*  

સાગબારા અને દેડિયાપાડા તાલુકાના ગામોમાં કેમ્પ યોજાયા*


તાહિર મેમણ – ડેડીયાપાડા – સોમવાર :- દેડિયાપાડા અને સાગબારા તાલુકાના ૫૨(બાવન) ગામોમાં આદિમજૂથના પરિવારો વસવાટ કરતા હોય વિવિધ વહીવટી તંત્રની ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે. તેને સમાંતર આજરોજ દેડિયાપાડા તાલુકાના કુંડીયાઆંબા ગામે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવાની ઉપસ્થિતિમાં કેમ્પ યોજાયો હતો. તેવીજ રીતે સાગબારા તાલુકામાં પણ ધવલીવેર ગામે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આદિમ જૂથના તમામ પરિવારોને ની વિવિધ જનકલ્યાણકારી યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી ૧૦૦ ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે ‘પીએમ જનમન’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી આગામી ૧૫મી જાન્યુઆરીના રોજ આદિમજૂથના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરવાના છે. ત્યારે હાલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી કામગીરીમાં ગામના નાગરિકો પણ ભાગીદારી નોંધાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને સરકારશ્રીની પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, કિસાન સન્માન નિધિ, વનધન યોજના, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, બેન્ક મિત્ર, માતૃવંદના, આયુષ્માન કાર્ડ, પીએમ વિશ્વકર્મા યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજના, ઉજ્જવલા યોજના, જીવન જ્યોતિ યોજના, કાસ્ટ સર્ટીફિકેટ, મહેસૂલની યોજના, પશુપાલન, ખેતીવાડીની યોજના, ટ્રાયબલ સબપ્લાન યોજના, પ્રાકૃતિક ખેતી, જેવી યોજનાઓનો ૧૦૦ ટકા લાભ તમામ પરિવારોને મળે તેવું સુદ્રઢ અયોજન નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!