DEDIAPADAGUJARATNARMADA

મુખ્યમઁત્રી કેજરીવાલ અને માન એ જેલ ખાતે ચૈતરભાઈ વસાવાની મુલાકાત લીધી.

  1. મુખ્યમઁત્રી કેજરીવાલ અને માન એ જેલ ખાતે ચૈતરભાઈ વસાવાની મુલાકાત લીધી.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 09/01/2024-આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગઈકાલે 2 દિવસનાં ગુજરાત પ્રવાસે આવ્યા હતા.ગઈકાલે તેમણે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસ એક પ્રદેશ કાર્યકારિણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ, ચૂંટાયેલા ધારાસભ્યો, જિલ્લાના તથા લોકસભાના પ્રભારીઓ તથા હોદ્દેદારો સહિત અગત્યના સાથીઓ હાજર રહ્યા હતા.

 

આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી રાજપીપળા જેલ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ચૈતરભાઇ વસાવા અને તેમના પત્ની સાથે મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી.

 

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે ચૈતરભાઈ વસાવાને ખોટા કેસમાં ગિરફતાર કર્યા છે. જેના કારણે આજે સમગ્ર આદિવાસી સમાજ ખૂબ જ ગુસ્સામાં છે કારણ કે ચૈતરભાઈની સાથે તેમની પત્નીને પણ ગિરફતાર કરવામાં આવ્યા છે. શકુંતલાબેન આદિવાસી સમાજની વહુ છે, એટલા માટે આજે સમગ્ર આદિવાસી સમાજ ગુસ્સામાં છે. ગઈકાલે અમે એક ખૂબ જ મોટી સભા કરી હતી, તેમાં હજારો લોકો આવ્યા હતા અને લોકોએ પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!