BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

છોટાઉદેપુર જિલ્લાના કલારાણી પંથકમાં વારંવાર ચોરી થતા પોલીસની ઢીલી નીતિને લઈ લોકોમાં રોષ

વધુ વિગતો માટે પત્રકારો દ્વારા કરાલી પીએસઆઇ ને અનેક વાર ફોન કરવા છતાં ફોન ઉપાડી રહ્યા નથી

_________________________

કરાલી પોલીસ સ્ટેશન મથકમાં આ પી.એસ.આઇ ના હાજર થયા બાદ ચોરીની ત્રીજી ઘટના સામે આવી તેમજ તસ્કરોને છૂટો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે,ત્યારે હજુ એક પણ ચોરીનો ભેદ ઉકેલાયો નથી

_________________________

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણીમાં વારંવાર ચોરીઓ થઈ રહી છે ત્યારે પોલીસની ઢીલી નીતિને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.વારંવાર ચોરી તો થઈ રહી છે પરંતુ ચોરો ઝડપાતા નથી.આ મામલે વધુ વિગતો માટે પત્રકારો દ્વારા કરાલી પોલીસ સબ ઇન્સ્પેકટર ને અનેક વાર ફોન કરવામાં આવ્યા પરંતુ ફોન ઉપાડી રહ્યા નથી.ઉલ્લેખનીય છે કે,૨૦૧૯ થી ચોરી થઈ રહી છે કલારાણી ગામમાં દર ત્રણ મહિનામાં એક વાર નાની મોટી ચોરી થઈ રહી છે.તારીખ ૩૦/૮/૨૦૨૩ માં રોજ કલારાણીના સરપંચના ઘરેથી જ ૮થી ૯ લાખના મુદ્દામાલ ની ચોરી થયેલ થોડા સમય માટે તેની તપાસ પણ ચાલેલ પરંતુ ચોરો પકડાયેલ નહિ.ત્યારે હાલ થોડા દિવસ પહેલા કલારાણી ગામ માંથી ટ્રેકટરની ટ્રોલીની ચોરી થયેલ છે તેમ જાણવા મળેલ છે.ત્યારે તેના ત્રણ દિવસ પહેલા તારીખ ૧/૯/૨૪ ના રોજ રાજપુર ગામમાં ત્રણ મકાનના તાળા તોડવામાં આવેલ તેમાં એક મકાન માંથી ૪૦,૦૦૦ જેટલા ઘરેણાં તેમજ રોકડ રકમની ઉઠાંતરી કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે કલારાણી ગામમાં ગામ લોકો તેમજ દુકાનદારો દ્વારા અંદાજિત ૩ મહિના જેટલા સમય માટે નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવેલ ગામ લોકો રાત જાગી દુકાનો સાચવતા હતા તે સમયે ચોરી થવાનું બંધ થયેલ.ત્યારે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે જો અમે રાત જાગી સાચવી રહ્યા છે તો ચોરી થઈ રહી નથી.તો પોલીસ પેટ્રોલિંગ કરે છે તો ચોરી કેમ અટકતી નથી?? આમ વારંવાર ચોરી થઈ રહી છે છતાં પોલીસ દ્વારા આ ટોળકીઓ પકડાઈ રહી નથી. ત્યારે પોલીસ સક્રિય થઈ તત્વરે આવી ચોર ટોળકીઓને પકડી જેલ ભેગા કરે તે ખૂબ જરૂરી બન્યું છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!