GUJARATRAJKOTUPLETA

Upleta: ઉપલેટા તાલુકાનાં અરણી અને સાજડીયાળી ગામે પ્રાકૃતિક ખેતીના લાભાલાભથી માહિતગાર થતાં ગ્રામજનો

તા.૧૯/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Upleta: કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચે તે હેતુસર આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનાં અરણી અને સાજડીયાળી ગામે પહોંચી હતી, જ્યાં ગ્રામજનોએ સરકારશ્રીની યોજનાઓનો લાભ ઘર આંગણે મેળવ્યો હતો તથા પ્રાકૃતિક ખેતીના લાભાલાભથી માહિતગાર થયા હતા.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા આરોગ્ય કેમ્પમાં બંને ગામના ૧૦૫૦ જેટલા ગ્રામજનોનાં આરોગ્યની વિનામૂલ્યે ચકાસણી કરવામાં આવી હતી. પશુપાલન વિભાગ દ્વારા યોજાયેલા પશુ આરોગ્ય કેમ્પમાં પશુપાલકોએ પશુઓનાં આરોગ્યની ચકાસણી વિનામૂલ્યે કરાવી હતી. ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થી, સ્થાનિક કલા કારીગર, રમતવીરને મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડ્રોનથી દવા છંટકાવની નવી ટેકનોલોજીથી ખેડુતોને માહિતગાર કરાયા હતા. “ધરતી કહે પુકાર “કૃતિ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

“મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જન ધન યોજના, જલ જીવન મિશન, પીએમ કિશાન યોજના, ઓડીએફ પ્લસ એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી થવા બદલ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. ગ્રામજનો પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા યથા યોગ્ય યોગદાન આપવા સંકલ્પબધ્ધ થયા હતા.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત,ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ, આગેવાનશ્રીઓ શ્રી અશોકભાઈ પંચાણી, શ્રી જેન્તીભાઈ બરોચીયા, શ્રી ભીખાભાઈ ચાવડા, શ્રી મોનિકભાઈ કોટડીયા, સરપંચશ્રી ઇન્દુબેન સખીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ.એમ.ભાસ્કર, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.સી.ભટ્ટ, વિસ્તરણ અધિકારીશ્રી જે.કે. લાંગા, મહેસુલ વિભાગ, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, તલાટી મંત્રીશ્રી, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!